Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Revelation 13 >> 

1(12-8) અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. (13-1) પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દશ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનિંદક નામો હતાં.

2જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં.

3મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખું જગત એ હિંસક પશુને જોઇને આશ્ચર્ય પામ્યું;

4અજગરે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેનું ભજન કર્યું; તેઓએ હિંસક પશુનું પણ ભજન કર્યું, અને કહ્યું કે, 'હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?'

5બડાઈ કરનારું તથા ઈશ્વર નિંદા કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેંતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો.

6તેણે ઈશ્વરનિંદા કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામની, તેમના [પવિત્ર] સ્થાનની તથા સ્વર્ગમાં રહેનારાઓની નિંદા કરે.

7તેને [એવું સામર્થ્ય] પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી દરેક કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો.

8જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.

9જો કોઈને કાન હોય તો તે સાંભળે.

10જો કોઇ બીજાને ગુલામીમાં લઇ જાય, તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈ બીજાને તલવારથી મારી નાખે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની ધીરજ તથા [તેઓનો] વિશ્વાસ [રહેલાં] છે.

11પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના [શિંગડાં] જેવાં બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું.

12પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેનું ભજન પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે;

13તે મોટા ચમત્કારો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે.

14હિંસક પશુની સમક્ષ જે ચમત્કારો કરવાનો [અધિકાર] તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે; અને પૃથ્વી પર રહેનારાંઓને તે કહે છે કે, 'જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું, છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.'

15તેને, એવું [સામર્થ્ય] આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની આરાધના ન કરે તેટલાંને તે મારી નંખાવે.

16વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા ગુલામ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે;

17વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઇથી કંઈ વેચાયલેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.

18આમાં ચાતુર્ય [રહેલું] છે. જેને બુદ્ધિ છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમકે તે એક માણસ [ના નામ] ની સંખ્યા છે: અને તેની સંખ્યા છસો છાસઠ છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Revelation 13 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran